Thursday 3 January 2013

ભારત જાગો! વિશ્વ જગાવો!

ભારત માતાના થોડાંક અમૂલ્ય રત્નો જેવા કે  મહાત્મા ગાંધી , સરદાર, ભગત સિંહ, સ્વામી વિવેકાનંદ  વગેરેમાંથી સ્વામી વિવેકાનંદ ની સાર્ધ  શાતાબ્ધી (150 વર્ષ ) આ વરસે ઉજવાવા જઈ રહી છે . તેઓનો જન્મ 12 જાન્યુ . ના 1863 ના રોજ કોલકાતા માં થયો હતો તેથી 12 જાન્યુ . 2013 થી 12 જાન્યું . 2014 સુધી આ સાર્ધ શતાબ્દી ની જુદા જુદા સ્વરૂપે આખાય ભારત દેશ માં ઉજવણી થશે . આ શતાબ્દી ઉજવવાના મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદ ના સ્વપ્ન ના શ્રધ્ધાવાન શ્રદ્ધાવાન સંકલ્પ બદ્ધ  યુવાનોની શોધ અને રાષ્ટ્રીય શક્તિઓનું એકત્રીકરણ છે . આ સાર્ધ શતાબ્દી નિમિત્તે આખા ભારત દેશમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા  વિવિધ પ્રકારના નાનાં  મોટા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે . જે પ્રમાણે 12 જાન્યુ . ના રોજ અમદાવાદ માં આશ્રમ રોડ પર ભવ્ય શોભાયાત્રા નીકળશે . 18 જાન્યુ . ના રોજ 50,000 થી વધુ બાળકો સાબરમતી riverfront ખાતે સુર્યનામ્સ્કાર કરશે . આ ઉપરાંત  ' સિંહનાદ ' નામની વાંચન સ્પર્ધા  નું પણ આયોજન કરવામાં આવ્યું છે .

આ પ્રસંગે આપને બને તો આપનો થોડોક કીમતી સમય રાષ્ટ્રને આપીએ .




વધુ માહિતી માટે
www .vkendra .com  ની મુલાકાત   લો .


No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...