Thursday 9 July 2020

શું તમને ખબર છે સુનીલ દત્ત અને નરગીસની લવસ્ટોરી ગુજરાતથી શરૂ થઈ હતી?


તસવીર સૌજન્યઃ ક્વીન્ટ.કોમ


નરગીસ બોલીવુડના ગ્રેટ એક્ટ્રેસ અને સુનીલ દત્તની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ એ કિસ્સો જગજાણીતો છે. હવે તો સંજુ જોયા પછી આપણને કદાચ દત્ત ફેમિલીની બીજી બાબતો પણ ખબર પડી છે. નરગીસજી પોતાના ત્રણે સંતાનો સંજુ, અંજુ (નમ્રતા) અને પ્રિયા દત્તને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને બાળકો માટે તેમણે પોતાની ધોમધખતી ફિલ્મી કરિયર પણ છોડી દીધી. જો કે નરગીસજી અને સુનિલ દત્તની લવસ્ટોરીનો રંગ પણ કંઈક આવો જ છે. જેટલો પ્રેમ બાળકો માટે હતો એટલો જ નરગીસજીને સુનિલ દત્ત માટે હતો.

કેમ સુનિલ દત્તને ડુંગળી-લસણ ખવડાવતા હતા નરગીસ?
       
        એટલે સુધી કે જ્યારે સુનિલ દત્તને ફિલ્મમાં ઈન્ટિમેટ સીન શૂટ કરવાના હોય તો નરગીસજીને ઈનસિક્યોરીટી રહેતી. આમ તો નરગીસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનિલ દત્ત કરતા સિનીયર હતા. બંને પહેલીવાર મળ્યા ત્યારે નરગીસ જી 46 ફિલ્માં કામ કરી ચૂક્યા હતા. એટલે સ્વાભાવિક છે કે સેટ પર કેવો માહોલ હોય એ તેમને ખ્યાલ જ હોય. સુનિલ દત્તના મિત્ર રાજ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું જ્યારે ઈન્ટિમેટ સીન શૂટ થવાનો હોય ત્યારે નરગીસ જી સુનિલ દત્તને કાંદા અને લસણવાળુ ભોજન આપતા, જેથી હિરોઈન્સ એમનાથી દૂર રહે.

ગુજરાતની ધરતી પર થઈ શરૂઆત

        આવી મસ્ત મસ્ત લવસ્ટોરીની શરૂઆતમાં ગુજરાતની ધરતી કારણરૂપ હતી. જી હાં, ફિલ્મ મધર ઈન્ડિયાના શૂટિંગમાં આગ લાગી અને સુનિલ દત્તે નરગીસને બચાવ્યા, બાદમાં બંનેએ લગ્ન કર્યા આ વાત બધ્ધે જ ચર્ચાયેલી છે. રસપ્રદ વાત એ છે કે આ ઘટના બની ત્યારે મહેબૂબ ખાનની આઈકોનિક ફિલ્મ મધર ઈન્ડિયાનું શૂટિંગ ગુજરાતના બિલીમોરામાં ચાલતુ હતું. ફિલ્મમાં આગ લાગવાનો સીન શૂટ કરવાનો હતો, અન ડિરેક્ટર મહેબૂબ ખાનના સમજાવવા છતાંય નરગીસજીએ બોડી ડબલ યુઝ કરવાની ના પાડી દીધી. પરંતુ શૂટિંગ સમયે પવનની દિશા બદલાઈ અને નરગીસજી આગમાં ફસાઈ ગયા. સુનિલ દત્તે પોતાના જીવની પરવા કર્યા વગર નરગીસને બચાવ્યા. જો કે આમાં સુનિલ દત્તે થોડી ઈજા થઈ. પોતાને બચાવનાર સુનિલ દત્તની નરગીસજીએ જાત્તે સેવા કરી. અને આ દરમિયાન બંને મિત્રો બન્યા. સાથી કલાકારો કરતા સવાઈ ઓળખાણ થઈ. 



નરગીસના ઘરની સામે બેસી રહેતા સુનિલ દત્ત  

સુનિલ દત્ત પોતાના કોલેજકાળમાં નરગીસના ઘરની સામે મરીન ડ્રાઈવની પાળી પર બેસી રહેતા. એક ઈન્ટરવ્યુમાં સુનિલ દત્તે સ્વીકાર્યુ હતુ કે નરગીસની બ્રિટિશ સ્પોર્ટ્સ કાર બિલ્ડીંગની બહાર નીકળે એ જોવા તે મિત્રો સાથે ખાસ બેસી રહેતા. અને વિધિના વિધાન તો જુઓ સુનિલ દત્તે નરગીસને પ્રપોઝ પણ કારમાં જ કર્યા હતા.  એક દિવસ સુનિલ દત્ત નરગીસને ઘરે મૂકવા ગયા, અને કહ્યું કે મને તું ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે. નરગીસ કંઈ કહ્યા વગર ઘરમાં જતા રહ્યા. સુનિલ દત્ત વિચારી રહ્યા કે આ શું કર્યું ? બીજા દિવસે શૂટિંગથી ઘરે આવ્યા તો એમની બહેન રાનીએ મુબારક બાદ આપી.. સુનિલ દત્ત ક્લૂ લેસ હતા. બહેન રાનીએ કહ્યું,ઉન્હોને હાં કર દી હૈ. નરગીસજી આઈથી એન્ડ સી એગ્રીડ. જો કે મધર ઈન્ડિયા રિલીઝ થઈ ત્યાં સુધી બંને પોતાના સંબંધો જાહેર નહોતા કરી શખ્યા. કારણ કે ફિલ્મમાં સુનીલ દત્ત નરગીસના પુત્રના રોલમાં હતા. મહેબૂબ ખાનને બીક હતી કે આ વાત જાહેર થશે તો ફિલ્મ પિટાઈ જશે. આખરે 11 માર્ચ 1958ના રોજ બંનેએ આર્યસમાજમાં લગ્ન કરી લીધા.
       
તસવીર સૌજન્યઃ કોઈમોઈ.કોમ

ટિફિન પણ બનાવતા નરગીસ  

ફાતીમા અબ્દુલ રશીદ તરીકે જન્મેલા નરગીસ બાળપણથી જ ખાધે પીધે સુખી ઘરમાં ઉછર્યા હતા. તેમના માતા જદનબાઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકાળાયેલા હતા. જો કે, સુનિલ દત્તનું ઘ નાનુ હતું. લાઈફસ્ટાઈલ જુદી હતી. પણ નરગીસ એડજસ્ટ થયા. નરગીસ માટે સુનિલ દત્ત એમની બહેન સાથે કૂકિંગ કોમ્પિટિશન કરાવતા હતા. કોઈ પણ સામાન્ય ગૃહિણીની જેમ નરગીસ સુનિલ દત્ત માટે ટિફિન બનાવતા. કદાચ રાજ કપૂર સાથેના સંબંધોમાં જે ન મળ્યુ એ બધું જ મેળવી લેવાની, અને આ સંબંધો સદા જાળવી રાખવાની મહેનત હતી. નરગીસ અને રાજ કપૂરના સંબંધોની ચર્ચા ખૂબ હતી. પણ રાજ કપૂર ક્યારેય નરગીસને અપનાવી ન શક્યા. આ સંબંધોમાં કદાચ નરગીસને એકલાપણું ખૂબ લાગ્યુ હતુ. એટલે જ સુનીલ દત્ત સાથેના સંબંધોમાં એમણે ખૂબ જ ધ્યાન રાખ્યુ. લગ્ન બાદ પણ સંબંધોને રીતસર ઉછેર્યા.      

અને નરગીસ-સુનિલ દત્તની ફિલ્મી સ્ટાઈલથી શરૂ થયેલી લવ સ્ટોરી આખી જિંદગી ફિલ્મી સ્ટાઈલની જ રહી. નરગીસને પેન્ક્રિયાકટીક કેન્સરનું નિદાન થયું. એ સમયે સંજય દત્તની જિંદગી પણ ડામાડોળ હતી. ફિલ્મ સ્ટાર હોવા છતાંય સુનિલ દત્ત પાસે પૈસાની તંગી થઈ હતી. નમ્રતા દત્તે એક વાતચીતમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે સુનિલ દત્ત નરગીસજીને ખવડાવતા, બ્રશ કરાવતા.. શક્ય એવી નાની મોટી બધી જ સેવા કરતા. અને નરગીસ પથારીવશ થવાથી એમના જીવનમાં પડેલી ખોટ મોટી હતી. કેટલીકવાર તેઓ એકલા ખૂણામાં રડી પણ રહેતા. જો કે કેન્સરને કારણે સુનિલ દત્તે 3 મે 1981ના રોજ નરગીસને ગુમાવી દીધા.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...