Tuesday 11 February 2020

શૂટિંગ પહેલા રણવીરસિંહ ભૂલ્યા વગર જરૂર કરે છે આ કામ!




બોલીવુડ સુપરસ્ટાર એન્ડ ટેલેન્ડ એક્ટર રણવીરસિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ જયેશભાઈ જોરદારના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મના શૂટિંગ માટે જાન્યુઆરીમાં રણવીરસિંહ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં જયેશભાઈ જોરદારનું 30 દિવસનું શૂટિંગ થયું છે. આ ફિલ્મને કેવી રીતે જઈશ, બે યાર અને ચાસણીમાં લીડ રોલ કરી ચૂકેલા દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી રહ્યા છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મમાં ઘણા ગુજરાતી કલાકારો પણ જોવા મળશે. ત્યારે વન ઈન્ડિયાએ પણ રણવીર સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી કલાકારો સાથે વાત કરીને તેમનો અનુભવ જાણ્યો છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં હંમેશા રણવીરિસિંહના એનર્જીલેવલ અંગે ચર્ચા થઈ હોય છે. રણવીર કેરેક્ટરને કેટલું અદ્દલ ભજવે છે એની ચર્ચા થતી હોય છે. જો કે સેટ પર આ માટે રણવીર કેવી તૈયારી કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જી હાં, રણવીરસિંહ શૂટ શરૂ થતા પહેલા સેટ પર મોટેથી મ્યુઝિક ખાસ સાંભળે છે. જયેશભાઈ જોરદારમાં રણવીર સાથે કામ કરી રહેલા ગુજરાતી એક્ટર મેહુલ દેસાઈએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું કે,રણવીર શૂટ દરમિયાન ખૂબ જ સ્ટ્રીક્ટ હોય છે.  એક વખત એક્શન બોલાય પછી પિન ડ્રોપ સાઈલન્સ એને જોઈએ છે. જો કે શૂટિંગ શરૂ થાય એ પહેલા રણવીર ચિલ હોય છે. જયેશભાઈના સેટ પર પણ એ અમારી સાથે ખૂબ મસ્તી કરતો. મજાક કરતો. કૂલ રહેતો, પણ એક વખત એક્શન થાય પછી પેકઅપ સુધી એ શૂટિંગમાં જ ઈન્વોલ્વ હોય છે.

 જાહેરજીવનમાં ભલે રણવીરસિંહ કેટલો ડિસિપ્લિન્ડ છે એની ચર્ચાઓ થતી હોય, પરંતુ એક્ટિંગ બાબતે આ સુપરસ્ટાર ખૂબ જ મહેનત કરે છે. મેહૂલ દેસાઈના કહેવા પ્રમાણે,કેરેક્ટર પકડવા કે ફીલ પકડવા માટે રણવીર શૂટ પહેલા જે-તે સીનની ફીલનું મ્યુઝિક વગાડે છે. એટલે કે રોમેન્ટિક સીન હોય તો એ ટાઈપનું અને સેડ સીન હોય તો શૂટ કરતા પહેલા એ સેટ પર એ મ્યુઝિક વગાડે છે. આ ઉપરાંત રસપ્રદ વાત એ છે કે રણવીરસિંહના નામે ભલે ઢગલાબંધ હિટ ફિલ્મો બોલતી હોય અને એ સંખ્યાબંધ બેસ્ટ એક્ટરના એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય, તેમ છતાંય શૂટિંગ પહેલા રિહર્સલ ખાસ કરે છે. ક્યારે ક્યાં કેમેરા હશે, કઈ મૂવમેન્ટ કરવાની છે, આ બધી જ તૈયારી પરફેક્ટ રીતે કર્યા પછી જ રણવીરસિંહ શૂટિંગ શરૂ કરે છે.

        મેહૂલ દેસાઈના ફિલ્મમાં રણવીરસિંહ સાથે વન ટુ વન સીન પણ છે. એ અંગે મેહુલનું કહેવું છે કે શૂટિંગમાં રણવીર એટલો ઈન્ટેન્સ હોય છે કે એની આંખોમાં જોઈને તમે પણ શાનદાર પર્ફોમ કરી શકો. ઉલ્લેખનીય છે કે રામ લીલા બાદ રણવીરસિંહ જયેશભાઈ જોરદારમાં ફરીવાર ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહી છે.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...